રાધનપુરમાં 7 વર્ષના બાળકના પેટમાં આખલાએ શીંગડું ઘુસાડતાં ઓપરેશન કરાવ્યું
રાધનપુરમાં ધોરણ 1માં ભણતા 7 વર્ષીય બાળક શાળામાંથી બહાર નીકળવા દરમ્યાન બહાર રખડતા આખલાએ અડફેટે લેતા બાળકના પેટનાં ભાગે 6 ઇંચ જેટલું શીંગડું ઘુસી જતા બાળકની હાલત ગંભીર થવાં પામી હતી. તાત્કાલિક તેને ધારપુર હોસ્પિટલમાં દાખલ કરતા ઓપરેશન બાદ બાળકનો જીવ બચી જવા પામ્યો હતો. રાધનપુર શહેરના પ્રેમનગર વિસ્તારમાં રહેતાં ભેમાજી ઠાકોરનો 7 વર્ષીય પુત્ર પ્રકાશ બાલપરી પ્રાયમરી સ્કૂલમાં ધોરણ 1માં અભ્યાસ કરે છે.
ગત ગુરુવારના રોજ બપોરે શાળામાં બે વાગ્યાની રિસેસ પડતાં શાળાના અન્ય બાળકો શાળા બહાર જતા હતા.તે દરમ્યાન રખડતાં આખલાએ બાળક પ્રકાશને અડફેટે લેતાં શીંગડું બાળકના પેટનાં ફેફસાંના ભાગ પાસે 6 ઇંચ જેટલુ ઘુસી જતાં બાળકના પેટનાં ભાગ ગંભીર ઘા થતા તેની ગંભીર હાલત થવાં પામી હતી.
બાળકને અડફેટે લેવાની જાણ થતાં લોહીલુહાણ હાલતમાં શિક્ષકોએ રાધનપુર રેફરલમાં સારવાર અર્થે ખસેડેલ,જ્યાં પેટમાં ઊંડો ઘા પડી ગયેલ હોઈ અને ગંભીર ઇજાઓ હોઇ અને તેની પરિસ્થિતિ નાજુક હોઈ વધુ સારવાર અર્થે એમ્બ્યુલન્સ મારફતે ધારપુર મેડિકલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.જ્યાં પેટનાં ભાગે ચીરો પડ્યો હોય ઓપરેશન કરવામાં આવ્યું છે.હાલમાં સારવાર ચાલી રહી 3 દિવસથી હોસ્પિટલમાં દાખલ છે.