
પાટણમાં 24 અરજદારોના અરજદારોના પ્રશ્નોનું ઝડપી નિરાકરણ લાવવા કલેક્ટરે અધિકારીઓને સૂચના આપી
પાટણ જિલ્લા સેવા સદનના કોન્ફરન્સ હોલ ખાતે જિલ્લા કલેકટર સુપ્રીતસિંઘ ગુલાટીના અધ્યક્ષસ્થાને જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો હતો. જિલ્લાકક્ષાના સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં અરજદારોએ પોતાના પ્રશ્નો રજૂ કર્યા હતા. જિલ્લા કલેક્ટરે વિવિધ અરજદારોના પ્રશ્નો અને ફરિયાદોને રૂબરૂ સાંભળ્યા હતા.
પાટણ જિલ્લાના સિદ્ધપુર, ચાણસ્મા, સમી, સાંતલપુર, પાટણ, રાધનપુર, સરસ્વતી, શંખેશ્વર, હારીજ, વિસ્તારના 24 અરજદારોએ વિવિધ પ્રશ્નો-ફરિયાદો આજરોજ જિલ્લા સેવા સદનના કોન્ફરન્સ હોલ ખાતે આયોજિત જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં રજૂ કરી હતી. જે સંદર્ભે જિલ્લા કલેકટરએ અરજદારોના પ્રશ્નોનું ઝડપી નિરાકરણ લાવવા સંલગ્ન વિભાગના અધિકારીઓને જરૂરી માર્ગદર્શન સાથે સૂચન કર્યું હતું. આ બેઠકમાં નિવાસી અધિક કલેકટર પ્રદીપસિંહ રાઠોડ, જિલ્લા વિકાસ અધિકારી ડી.એમ.સોલંકી, તેમજ વિવિધ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.