પાટણમાં જીલ્લામાં વધુ ૨ મોત સાથે કોરોનાએ અત્યાર સુધીમાં ૧૦નો ભોગ લીધો

પાટણ
પાટણ

ગઇકાલે વધુ ૨ પોઝીટીવ કેસ આવતા કુલ ૧૦૫ પોઝીટીવ કેસ

પાટણ જીલ્લામાં ગઇકાલે કોરોનાએ વધુ ૨ વ્યકિતનો ભોગ લેતા અત્યાર સુધીમાં કોરોનાએ કુલ ૧૦ વ્યકિતનો ભોગ લેવાયો છે. જ્યારે વધુ ૨ નવા પોઝીટીવ કેસ સાથે કુલ ૧૦૫ પોઝીટીવ કેસ નોંધાયા છે. પાટણ જિલ્લામાં કોરોના પોઝીટીવના કેસ ૧૦૩ નોંધાયેલ છે. ત્યારે આજે પાટણ શહેરના બાબુના બંગલા પાસે રહેતા ૪૦ વર્ષના પુરૂષ દર્દીને અમદાવાદની કિડની હોસ્પિટલ અસારવા ખાતેની કિડનીની બિમારી હોવાથી સારવાર ચાલી રહી હોવાથી દાખલ છે અને તેમને તાવની તકલીફ થતાં બી જે મેડિકલ હોસ્પિટલમાં કોરોના રિપોર્ટ કરાવતા પોઝીટીવ આવ્યો છે.જીલ્લામાં કોરોના મહામારીનો કહેર વર્તાવી રહ્યા છે ત્યારે અત્યાર સુધીમાં જીલ્લામાં કોરોના વાયરસના કુલ ૧૦૫ કેસ નોંધાઇ ચૂકયા છે અને ૮ વ્યકિતઓના કોરોનાથી મોત થયા છે ત્યારે આજરોજ પાટણ શહેરની મારૂતિ નગર સોસાયટીમાં રહેતા ૬૬ વર્ષની મહિલાનો થોડાક દિવસ અગાઉ કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યો હતો અને તેમની સારવાર ચાલી રહી હતી ત્યારે આજરોજ તેમનું મોત થતા જીલ્લામાં કોરોનાથી મૃત્યુ આંક ૯ પર પહોંચી ગયો છે. અને બપોરે પાટણના મદારસા વિસ્તારમાં રહેતા ૬૯ વર્ષીય પુરૂષનું પણ કોરોનાના કારણે મોત નિપજ્યુ છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.