પાટણમાં તાજીયા જુલુસ દરમિયાન ઝુલુસના રૂટના રોડ રસ્તા બિસ્માર હાલતમાં સમસ્યાનું નિવારણ લાવવા માંગ
પાટણમાં તાજીયા જુલુસ દરમિયાન ઝુલુસના રૂટના રોડ રસ્તા બિસ્માર હાલતમાં છે તેમજ સ્ટ્રીટ લાઈટો બંધ છે, સાથે સાથે જર્જરિત મકાનો અને વૃક્ષો જે નમી પડેલા છે તેનો તાત્કાલિક ધોરણે નિકાલ કરવામાં આવે, રોડ રસ્તાઓનું પેચવર્ક કરવામાં આવે અને મુખ્ય સમસ્યા એવી રસ્તે રખડતા ઢોરોને પાંજરે પુરવામાં આવે તેવી માંગણી પાટણ નગરપાલિકાના વોર્ડ નંબર 10ના કોર્પોરેટર શમીમબાનું સુમરા દ્વારા નગરપાલિકાના પ્રમુખને કરવામાં આવી હતી.
ઇસ્લામ ધર્મના સ્થાપક મહંમદ પયગમ્બર સાહેબના દોહીત્ર હજરત ઇમામ હુસૈન (ર.દી) એ માનવતાના મૂલ્યો કાજે દુરાચારી ચજીદ સામે ઝૂકયા વિના પોતાના 72 અનુયાયીઓ સાથે શહાદત વ્હોરી હતી. જેઓની યાદમાં મુસ્લિમ સમાજ દ્વારા મોહરમ પર્વ ઉજવાય છે. પાટણ શહેરમાં મોહરર્મ નિમિત્તે તાજીયા જુલુસ નીકળે છે જે અંતર્ગત તારીખ 8 ઓગષ્ટની રાત્રીએ કતલની રાત મનાવવામાં આવશે અને 9 મીએ યવમ-એ-આશુરા ઉજવવામાં આવશે., જેને ધ્યાને લઇ વર્ષોની પરંપરા મુજબ પાટણમાં કતલની રાત્રી તેમજ યવમે આશુરાના દિવસે તાજીયા ઝુલુસ નીકળશે.