ધારપુર સિવિલથી વધુ સારવાર માટે અમદાવાદ ખસેડાયેલા પરિવારની 12 વર્ષીય દીકરીનું મોત
પાટણ એસપી કચેરી સંકુલમાં પિતા સહિત ચાર સંતાનોએ ઝેરી દવા પી લઈ સામુહિક આત્મહત્યાનો પ્રયાસ કર્યા બાદ તમામને ધારપુર સિવિલમાં સારવાર માટે ખસેડવામા આવ્યા હતા. જ્યાં તમામની હાલત વધુ ગંભીર હોય વધુ સારવાર માટે અમદાવાદમાં ખસેડવામા આવ્યા હતા. પાંચ સભ્યો પૈકી બે સભ્યોને એપોલો હોસ્પિટલમાં તેમજ ત્રણ સભ્યોને અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે દાખલ કરાયા હતા. સિવિલમાં દાખલ પરિવારની 12 વર્ષની દીકરી ભાનુબેન પરમારનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે.