પાટણના સિદ્ધી સરોવરમાં વધુ એક યુવાને અગમ્ય કારણોસર મોતની છલાંગ લગાવી

પાટણ
પાટણ

(રખેવાળ ન્યૂઝ)પાટણ, પાટણનાં સુસાઈટ પોઈન્ટ તરીકે પંકાયેલા સિધ્ધી સરોવરમા શુકવારની મોડી સાંજે એક આશાસ્પદ યુવાને મોતની છલાંગ મારી પોતાની જીવનલીલા સંકેલી લીધી હોવાની ઘટના પ્રકાશમાં આવવા પામી છે.

આ બાબતે મળતી હકીકત મુજબ પાટણ શહેરના સિદ્ધી સરોવર પાસે શુક્રવારની મોડી સાંજે એક બાઈકઆ વિસ્તારમાંથી પસાર થતા કેટલાક યુવાનોની નજરે પડતાં તેઓ દ્વારા વિસ્તારના વડિલોને જાણ કરતાં તેઓએ ઘટના સ્થળે દોડી આવી કોઈ અજુગતું બન્યું હોવાની શંકા વ્યક્ત કરી અગ્રણીઓએ નગરપાલિકાને જાણ કરતાં નગરપાલિકાના ફાયર ફાઈટરના તરવૈયાઓ અને સિધ્ધી સરોવર કિનારે આવેલા શ્રી કુબેરેશ્વર મહાદેવ મંદિરનાં શિવ ભક્તો દ્વારા રાત્રે ૮ થી ૧ વાગ્યા સુધી સિધ્ધી સરોવરમા શોધખોળ હાથ ધરી હતી.

પરંતુ કોઈ સફળતા ન મળતા શનિવારે નગરપાલિકાનાં કોર્પોરેટર અને શહેર કોંગ્રેસ પ્રમુખ ભરત ભાટિયા એ સિધ્ધી સરોવર ખાતે પહોંચી પાટણ પાલિકાના ફાયર ફાઈટરની ટીમને ટેલિફોનિક જાણ કરી સિધ્ધી સરોવર ખાતે બોલાવી શોધખોળ હાથ ધરવામાં આવતાં યુવાનની બોડી દેખાતા તરવૈયાઓ દ્વારા બોડીને બહાર કાઢવામાં આવી હતી.
સિધ્ધી સરોવરમાં મોતની છલાંગ લગાવી પોતાની જીવનલીલા સંકેલી લેનાર યુવાન શહેરના ગુમડા મસ્જીદ નજીક રહેતો રાજપૂત રોહિત તખતસિહ હોવાનું જાણવા મળ્યું છે. જાેકે આ બાબતે પોલીસને જાણ કરાતા પોલીસ દ્વારા લાશનું પંચનામુ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.