
સિદ્ધપુરના વાતાવરણમાં પલટો આવ્યા બાદ વરસાદ વરસ્યો : ખેડૂતોના ઉભા પાકોને મળ્યુ જીવનદાન
હવામાન વિભાગની આગાહીને પગલે ફરી રાજ્યમાં વરસાદી માહોલ છવાયો છે. ત્યારે સિદ્ધપુરમાં વાતાવરણમાં એકાએક પલટો આવ્યા બાદ વરસાદ વરસવાને લઈને રોડ પર પાણી ભરાયા હતા. સવા મહિના બાદ શનિવારની સાંજ થી સોમવાર સુધી વરસાદ વરસવાને લઈને શહેરીજનો વરસાદમાં ભીંજાવાની મજા પણ માણી હતી .વરસાદ શરૂ થતાં લોકોને છત્રી લઈ બહાર નીકળવું પડ્યું હતું. તેમજ ગરમીના ઉકળાટ બાદ વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.સિદ્ધપુર ડિઝાસ્ટર મેનેજમેન્ટ અધિકારી તેમજ યૂજીવિસિએલ ના અધિકારીએ જણાવ્યુ હતુ કે, અત્યાર સુધીમાં કોઇપણ જાતના જાનમાલને નુકસાન સર્જાયુ હોય એવી સ્થિતી ક્યાંય જોવા મળી ન હતી તેમજ ઇલેક્ટ્રિક વાયરો, થાંભલાઓ અને ડિપીને લઇને વીજ વ્યવહાર ખોરવાયો હોય કે કોઇપણ પ્રકારનુ નુકસાન કે જાનહાની થઈ ન હતી.
ઘણી આતુરતાથી વરસાદની રાહ જોઇ રહેલા ખેડુતો ના ઉભા પાકોને થતુ નુકસાન બચી ગયુ હતું. ધોધમાર વરસાદ વરસતા સિદ્ધપુર તાલુકાના કાકોશી વિસ્તારના વાઘરોલ , મેથાણ , ડીંડરોલ , કુંવારા , મેત્રાણા સહીત ના ગામોના ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી.વરસાદ ના અભાવના કારણે તેમજ ઈયળો ના ઉપદ્રવો ના કારણે ખેડુતો ના ઉભા પાકો જેવા કે એરંડા ,જુવાર , મગ, કપાસ,જાર ,તલ જેવા પાકોને નુકસાન થઈ રહ્યુ હતુ તેવા દરેક પાકોને જીવનદાન મળ્યુ હતું.કાકોશી વિસ્તારના ખેડૂત ધનજીભાઈ ઠાકોર અને જાવેદભાઈ પઠાણે જણાવ્યુ હતુ કે, આ વખતે વરસાદ ના અભાવના કારણે ખેડુતો ને ઉભા પાકના વાવેતરમાં નુકસાની વેઠવાનો વારો આવવાનો હતો પરંતુ શનિવારે સાંજે 7 વાગ્યા થી વરસાદ શરૂ થયો હતો જે રવિવારે આખા દિવસ દરમિયાન વરસાદ વરસવાથી અમારા એરંડા , જાર , મગ ,તલ જેવા પાકોને થતુ નુકસાન અટકી ગયુ હતું નહી તો બધો પાક બળી ગયો હોત. હજુ ચાર દિવસ સુધી અવિરત વરસાદ વરસે તો પણ પાક માટે સારુ પરંતુ એનાથી વધારે અતિશય વરસાદ વરસે ને ખેતરો મા પાણી ભરાઈ રહે તો બધા પાકો બગડે જોકે એકંદરે હાલ પાક માટે વરસાદ સારો છે.