રાધનપુરનાં મેમદાવાદમાં અગાઉ ફરિયાદ કરવાના મામલે છરી અને ધારીયાથી એક શખ્સ પર હુમલો
રાધનપર તાલુકાનાં મહેમદાવાદ બાલમંદિર રોડ ઉપર અગાઉ ફરીયાદ કરવાના મામલે બે પક્ષ વચ્ચે બોલાચાલી થઈ હતી. જે બાદ મારામારી થતા એક શખ્સને ઈજા પહોંચી છે. આ બનાવ અંગે સામસામી ફરીયાદો નોંધાઇ હતી.
આ અંગેની મળતી માહિતી મુજબ રાધનપુરનાં મેમદાવાદના અયુબાભાઈ દાઉમાં પોતાનું ટ્રેક્ટર લઈને ખેતરેથી ઘેર જતા હતા, તે વખતે ચાર વ્યક્તિઓ ઉપરોકત સ્થળે અયુબભાઈના ભત્રીજા ઈકબાલને મારતા હતા. જેથી તેઓ વચ્ચે છોડાવવા માટે પડતાં તેમને રિયાઝભાઈએ છરીથી તેમજ શેરમહેમદે ધારીયાથી અને ટોમીથી મારવા જતાં અયુબભાઇને ઇજા થઇ હતી. આ બનાવ અંગે પોલીસે ગુનો નોંધ્યો છે.
આ બનાવ અંગે સામાપક્ષે જાકુલભાઇ અબ્દુલ્લાભાઇ રાઉમાએ પણ ઈસ્માઈલભાઈ અને સાદિકભાઇ સામે એવો આક્ષેપ કરતી ફરીયાદ નોંધાવી હતી કે, જાકુબભાઇ તેમનાં ગામનાં વેવાઇનાં ત્યારે ઇસ્માઇલભાઇએ જાકુબભાઇને રસ્તામાં ઉભા રાખીને કહેતા, ગઇકાલે તમારા દિકરાએ કેમ મારા માસીનાં દિકરા વિરુદ્ધ ખોટી ફરીયાદ કરી છે તેમ કહી ઝપાઝપી થતાં છરી જાકુબભાઇને વાગતાં ઇજા થઇ હતી. પોલીસે ગુનો નોંધ્યો હતો અને આ મામલે તપાસ હાથ ધરી છે.