રાધનપુરનાં ઓધવનગર પાસેની નર્મદા કેનાલમાં ગાબડું

પાટણ
પાટણ

પાટણ જિલ્લાના રાધનપુર પંથકમાં નર્મદા નિગમ દ્વારા કાર્યરત કરાયેલ કેનાલોની કામગીરી હલકી ગુણવત્તાની કરાઇ હોવાનાં આક્ષેપો અવાર નવાર વિસ્તારના લોકો દ્વારા કરવામાં આવતા રહ્યા છે. કારણકે આ વિસ્તારમાં બનાવવામાં આવેલ નર્મદાની કેનાલોમાં વારંવાર ગાબડા પડવાની સમસ્યાઓ સજૉતી હોવાથી વિસ્તારના લોકો ને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે .તો કેનાલ આજુબાજુમાં આવેલા ખેતરમાં પાણી ફરી વળતા ખેડૂતોને પણ ભારે નુક્સાન થતુ હોય છે. ત્યારે સોમવારનાં રોજ રાધનપુર પંથક ની ઓધવનગર પાસેની નર્મદા સબ બ્રાન્ચ કેનાલમાં ગાબડું પડ્યું હોવાનું જાણવા મળ્યું છે. જાેકે આ બાબતે નર્મદા વિભાગ અજાણ હોય જાે તાત્કાલિક ધોરણે આ ગાબડાં નું સમારકામ હાથ ધરવામાં નહીં આવે તો કેનાલમાં અવિરત પાણીના વહેતા પ્રવાહ નાં કારણે કેનાલ તુટવાની પુરે પુરી સંભાવના રહેલી હોય જેને લીધે કેનાલ ની આજુબાજુમાં આવેલા ખેડૂતોનાં ખેતરોમાં પાણી ફરી વળે તેવી ભિતી પણ ખેડૂતોમાં ઉભી થવા પામી છે.રાધનપુર પંથકમાં કાયૅરત નર્મદા ની કેનાલોની હલકી ગુણવત્તા ની કામગીરી બાબતે નમૅદા વિભાગ નાં અધીકારીઓ દ્વારા જાત તપાસ હાથ ધરી વારંવાર તુટતી કેનાલોની સમસ્યા ઓનું કાયમી ધોરણે નિરાકરણ લાવવામાં આવે તેવી માંગ વિસ્તારના લોકો માં ઉઠવા પામી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.