સરસ્વતીના ભુતિયાવાસણામાં વાડામાં આગ લાગતાં પુરા બળીને ખાખ

પાટણ
પાટણ

સરસ્વતી તાલુકાના ભુતિયાવાસણા ગામે શુક્રવારે બપોરે સેમાભાઈ તેજાભાઇ ચૌધરીના વાડામાં અગમ્ય કારણોસર સુકા જુવારના પુળામાં આગ લાગતાં વિકરાળ આગ ભભુકી ઉઠતા ગ્રામજનોએ ઘરના વાસણો દ્વારા પાણીનો મારો લગાવ્યો હતો પણ આગ કાબુમાં ન આવતા ગામના સરપંચ પ્રવિણભાઈ ચૌધરી અને રહીશ રોહિતભાઈ ચૌધરીએ ફાયરબ્રિગેડને જાણ કરતા ઘટના સ્થળે બે ફાયરબ્રિગેડ ગાડી દોડી આવી પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી.

પણ સુકા પુળા બળીને ખાખ થઈ ગયા હતા. સરસ્વતી તાલુકા પંચાયત કચેરીના વિસ્તરણ અધિકારી અંબાલાલ ચૌધરી સહિત કર્મચારીઓ પણ દોડી આવ્યા હતા. જો કે,કોઈ જાનહાનિ નહીં સર્જાતાં ગ્રામજનોએ હાશકારો અનુભવ્યો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.