
ભાદરવી પૂનમિયા સંઘમાં પાટણ જિલ્લામાંથી 66 સંઘો નોંધાયા
અંબાજીમાં ભાદરવી પૂનમનો મા અંબાનો મહામેળો તા.23 થી 29 સપ્ટેમ્બર દરમિયાન ભરાનાર હોઇ વર્ષોથી પગપાળા સંઘો લઇને જતાં માઇભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ વર્ષે મેળામાં રાજ્યભરમાંથી આવતા સંઘોને ફરજિયાત ઓનલાઇન પાસ પરમીટની વ્યવસ્થા લાગુ કરાઇ છે. જેમાં પાટણ જિલ્લા માંથી 66 જેટલા પગપાળા સંઘો ઓનલાઇન નોંધણી થઇ ચૂકી છે. આ સંઘો સીધુ સામાનવાળાં વાહનો સાથે અંબાજીમાં ઉતારા સ્થળ સુધી જઇ શકે તે માટે ભાદરવી પૂનમિયા સંઘ સેવા ટ્રસ્ટ દ્વારા વાહનના પાસ કઢાવી તેનું વિતરણ શરૂ કર્યું છે.ભાદરવી પૂનમિયા સંઘ સેવા ટ્રસ્ટમાં રજીસ્ટ્રર્ડ 1470 સંઘોના 28 ઝોન મારફતે વાહન એન્ટ્રીપાસ વિતરણ શરૂ કરાયું છે. પાટણ ઝોનના સુરેશભાઈ પટેલ જણાવ્યુ હતું કે ,અગાઉ મેન્યુઅલી સંઘના ફોર્મ ભરી અંબાજીમાં પાસ પરમીટ માટે મોકલતાં અને મંજૂરી મળે એટલે વિવિધ સંઘોના સ્ટીકર પાસ તૈયાર કરી પહોંચાડતા હતા. છેલ્લા બે વર્ષ અંબાજી પ્રશાસન દ્વારા ઓનલાઇન પાસ કરાયા હોઇ છેલ્લા 10 દિવસથી અંબાજી ભાદરવી પૂનમિયા સંઘ સેવા ટ્રસ્ટ કાર્યાલય ખાતે ઓનલાઇન સંઘોની પાસ માટે એન્ટ્રી કરી ફોર્મ નોંધાવેલ અને પાસ કાઢી હવે ઝોન પ્રતિનિધિ મારફતે સંઘોને પહોંચાડવાનું શરૂ કર્યું છે.પાટણ જિલ્લાના 66 જેટલા સંઘો ને પાસ પરમીટ આપી દેવમાં આવી છે.
પાટણ જિલ્લા માંથી 66 સંઘ નોંધાયેલા છે અને આ તમામ સંઘોને રથ અને વાહનને દાંતા, પછી થી અંદર જ્યાં ઉતારો હોય ત્યાં સુધી લઇ જવા ઓનલાઇન પાસ તૈયાર થતાં મેળવી લીધા છે. યુવક મંડળો દ્વારા પગપાળા સંઘ વરસાદ વિઘ્ન ના બને તેમાટે માતાજીના માંડવી રથને પ્લાસ્ટીક કોડેટ સાથે સજાવટ કરવામાં આવી રહી છે ક્યાક રથની મરામત કરાઈ હતી.તો સીધા સમાન ના વાહનો બાંધવાની કામગીરી કરાઈ રહી છે. સચિન પટેલ,ગોવિંદ પટેલ જણાવ્યું હતું કે ઝીણીપોળ જય અંબે પગપાળા સંઘ છેલ્લા 25 વર્ષ થી પગપાળા જાય છેગત વર્ષે હવન કરી 25 વર્ષ પુરા કર્યા છે એ વખતે 26 મુ વર્ષ છે જેમાં 50 વધુ પદયાત્રીઓ માતાજી ની માંડવી અને ધજા સાથે 24 મી એ રાત્રે રામજી મંદિર ખાતે માતાજી ની આરતી કરી પ્રસ્થાન કરશે. અશોક ભાઈ પટેલ જણાવ્યું હતું કે અમારો ગુર્જરવાડા યુથ કલબ નો જયઅંબે પગપાળા સંઘ 31 વર્ષ થી પગપાળા જાય છે એ વખતે 31માં વર્ષે 120 થી વધુ પદયાત્રીઓ સાથે માતાજી ની માંડવી સાથે અંબાજી પગપાળા સંઘ 24 સપ્ટેમ્બર રાત્રે 8 વાગે માતાજી ની આરતી કરી પ્રસ્થાન કરશે.