ચારણકા-કંસારીની ૪૦૦ કે.વી. વિજ લાઈનમાં અર્થીંગ થતા આગ ભભુકી
ચારણકા સોલર પાર્કમાં અગાઉ બે વખત લાગેલી આગના કારણે લાખો રૂપિયાનું નુકસાન થવા પામ્યું છે ત્યારે રવિવારના રોજ ચારણકા-કંસારીની સાંતલપુરના કિલાણા અને સોનથ વચ્ચેની ૪૦૦ કે.વી વીજલાઇન માં અર્થીંગ સર્જાતા આગ ભભૂકી ઉઠતા ખેતરમાં વાવેતર કરાયેલા રાયડા અને એરંડાના પાક બળીને થોથ વળી જતાં ખેડૂતને મોટું નુકસાન થવા પામ્યુ હતું. જ્યારે આ વિકરાળ આગને કાબુમાં લેવા ખેડૂતો એ અપના હાથ જગન્નાથ ની જેમ પાણીનો મારો ચલાવી આગ ને કાબુ માં લીધી હતી.જાેકે આ બનાવ સમયે ખેડૂતો ખેતર થી દુર હોય જાન હાની ટળતા લોકોએ હાસકારો અનુભવ્યો હતો.