રાધનપુરની ઐતિહાસિક સબ જેલને છેલ્લીવાર નિહાળી લો….

પાટણ
પાટણ

રખેવાળન્યુઝરાધનપુર : રાધનપુરમાં નવાબી કાળની ઐતિહાસિક સબજેલ બિસ્માર હાલતમાં હોવાથી કેદીઓને પાટણ જેલમાં મોકલી આપવામાં આવ્યા હતા.આ સબજેલની જમીન પોલીસ આવાસ નિગમને આપવામાં આવી છે, જ્યાં પોલીસ અવાસ નિગમ દ્વારા ડી.વાય. એસ.પી.કચેરી, ડી.વાય.એસ.પી.-પી.આઈ. અને પી.એસ.આઈ. ના રહેણાંક ક્વાર્ટર બનાવવામાં આવનાર છે, આ ઉપરાંત વિશાળ જગ્યા હોવાથી પરેડ માટે જગ્યા ખુલ્લી રાખવામાં આવનાર છે. હાલમાં આ સબજેલને પાડવાની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. કેદીઓને રાખવામાં આવતા હતા તે તમામ રૂમ જે.સી.બી. દ્વારા ધરાશાયી કરી નાંખવામાં આવ્યા છે,અને મેઈન ગેટની દીવાલ બાકી છે.પાડવાની કામગીરી પૂર્ણ થયા બાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવનાર છે.

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.