ખરીફ સીઝન દરમ્યાન અનાજનું ઉત્પાદન 15 કરોડ ટનને પાર જવાની શક્યતાઓ

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

વર્તમાન વર્ષની ખરીફ સીઝનમાં અનાજનું ઉત્પાદન 15 કરોડ ટનથી વધુ થઇ શકે છે. જે અગાઉની સીઝનમાં 14 કરોડ ટન હતું. જેમા જુલાઇ-જુન (2021-22) દરમિયાન ખરીફ સીઝનમાં અનાજનું ઉત્પાદન તમામ રેકોર્ડ તોડી નાખે તેવી શક્યતાઓ છે. આમ આ વર્ષે અત્યારસુધી સૌથી સારો વરસાદ પડયો છે. ત્યારે ગયા વર્ષે કુલ ખરીફ પાકોનું ઉત્પાદન 14 કરોડ ટન હતું. આ વખતની સીઝનમાં કઠોળ,અનાજ,ડાંગર વગેરેનું ઉત્પાદન ગયા વર્ષ કરતા ઘણુ વધુ થવાની આશા છે. આ સિવાય તેમણે કહ્યુ હતુ કે આ વર્ષે ખરીફ સીઝનમાં અનાજનું ઉત્પાદન 15 કરોડ ટનને પાર પહોંચવાની શક્યતાઓ છે. જેમા 10મી સપ્ટેમ્બર 2021 સુધીમા ખરીફ પાકનું 1096.70 લાખ હેક્ટરમાં વાવેતર કરવામાં આવ્યું છે. જે ગયા વર્ષે આ સમય દરમિયાન 1106.57 લાખ હેક્ટર હતું. જેમા 10 લાખ હેક્ટરનો ઘટાડો થયો હોવાછતા ઉત્પાદન વધુ થવાની આશા છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.