
વિજયવાડા થર્મલ પાવર સ્ટેશનમાં લિફ્ટનો કેબલ તૂટી જતા 3ના મોત થયા
આંધ્રપ્રદેશના વિજયવાડા થર્મલ પાવર સ્ટેશનમાં વર્તમાનમા મોટી દુર્ઘટના સર્જાઈ છે.જેમા લિફ્ટનો કેબલ તૂટી જતા 3 લોકોના મોત થઈ ગયા છે.જ્યારે ઘાયલોને ભારે જહેમત બાદ બહાર કાઢવામાં આવ્યા હતા ત્યારબાદ તેમને એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.ત્યારે આ અંગે પોલીસે કેસ દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે.