ઉત્તરાખંડની શારદા નદીમાં અનિયંત્રિત કાર પડી

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

શારદા નહેરમાં મોડી રાતે ઈનોવા કાર નિયંત્રણ ગુમાવતા લોહિયાહેડ નજીક પડી ગઈ હતી.જેમાં 3 બાળકો અને મહિલા સહિત 5 લોકોના મોત થયા હતા.જે ઘટના બાદ બે ગામમાં માતમ છવાઈ ગયો છે.ત્યારે પોલીસે મોડી રાતે ઈનોવા કારમાંથી પાંચના મૃતદેહ જપ્ત કરી મોર્ચરીમાં રખાવ્યા હતા.ત્યારબાદ શુક્રવાર સવારે મૃતદેહોનું પંચનામુ કરીને પોસ્ટમોર્ટમની કાર્યવાહી બાદ પરિજનોને સોંપી દેવામાં આવ્યા હતા.જેમા પાવર હાઉસ કોલોનીના લોહિયાહેડ નિવાસી દ્રોપતી ઉર્ફે દુર્ગા,જ્યોતિ અને ઈનોવા કાર ચાલક નગરા તરાઈ વર્ષીય મોહનસિંહ ધામી,બહાદુરસિંહ ધામી ઈનોવા કારમાં સવાર થઈને ગુરૂવારની સાંજે પોતાના ભાઈ અંજનિયા બુઢાબાગ નિવાસી મોહનચંદના ઘરે ગયા હતા.ત્યારે મોડી રાતે પોતાના ભાઈના પુત્ર 5 વર્ષીય સોનુ અને 7 વર્ષીય પુત્રી દીપિકાને લઈને પાછા લોહિયાહેડ પોતાના ઘરે પાછા ફર્યા હતા.ત્યારે ઈનોવા કાર અનિયંત્રિત થઈને પાવર હાઉસ જાળી નજીક શારદા નહેરમાં પડી ગઈ હતી.તે દરમિયાન જ્યારે તે ઘરે ના પહોંચી તો તેમના ભાઈ મોહનચંદને આની ચિંતા થઈ.જે બાદ તેમણે શોધખોળ શરૂ કરી તપાસ શરૂ કરી હતી.આમ શારદા નહેરમાં પડેલી ઈનોવા કારને મહાજહેમતે દોરડુ અને અન્ય વાહનોની મદદથી ખેંચવામાં આવી.જે બાદ કારમાં ફસાયેલા પાંચ લોકોને બહાર કાઢવામાં આવ્યા અને તેમને 108 સેવા દ્વારા જિલ્લા હોસ્પિટલ લાવવામાં આવ્યા.જ્યાં ડોક્ટર્સે તેમને મૃત જાહેર કર્યા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.