તુર્કીના પોર્ટમાં માલવાહક જહાજે જળસમાધી લીધી
તુર્કીનાં ઈસ્કેડરમ બંદર ઉપર માલવાહક જહાજ અને બોડિંગ થઈ રહ્યુ હતું ત્યારે અચાનક દરીયામાં ગરકાવ થયું હતું.જેમાં સદભાગ્યે જહાજમાં રહેલા તમામ કર્મચારીઓ કેપ્ટનનો બચાવ થયો હતો.તુર્કીના મેસિંન થી ઈસ્કેડરમ બંદર પર આવેલા જહાંજમાંથી કન્ટેનર ઉતારતી વખતે અચાનક જહાજ પલ્ટી જતા ભયજનક સ્થિતિ સર્જાઈ હતી.ત્યારે કેપ્ટન અને તમામ કર્મચારીઓ બહાર નીકળી જતા તેમનો બચાવ થયો હતો.જેમાં જહાજ સાથે 24 કન્ટેનર દરીયામાં ગરકાવ થઈ થતાં જહાજ કન્ટેનરને બહાર કાઢવામાં શોધખોળ ચાલી રહી છે.આ દુર્ઘટના અંગે તુર્કી પોર્ટ સત્તાધીશોએ તપાસમાં આદેશ કર્યા છે.