
તુર્કી-સીરિયામાં આવેલા ભૂકંપમાં મોતનો આંકડો 15 હજારને પાર થયો
વર્તમાન સમયમાં તુર્કી અને સીરિયામાં આવેલા શક્તિશાળી ભૂકંપમાં અત્યારસુધીમાં 15 હજારથી વધુ લોકોના મોત થયા છે.આ ઉપરાંત ભૂકંપમાં અંદાજે 63 હજાર જેટલા લોકો ઘાયલ થયાના સમાચાર મળી રહ્યા છે.આમ આ ભૂકંપમાં મૃત્યુ પામનારા લોકોની સંખ્યા સતત વધી રહી છે.જેમાં ભૂકંપને કારણે ભારે તારાજી સર્જાઈ છે અને રાહત અને બચાવ કાર્ય માટે ઘણી ટીમ કાટમાળમાંથી લોકોને બહાર કાઢવામાં લાગેલી છે ત્યારે મૃત્યુઆંક હજુ વધી શકે છે.કારણ કે અત્યારે મોટી સંખ્યામાં લોકો ઈમારતોના કાટમાળ નીચે દટાયેલા છે.ત્યારે ભારત સહિત અમેરિકા અને ચીન જેવા દેશોએ તુર્કી અને સીરિયામાં રાહત સામગ્રી અને અન્ય સહાય મોકલી આપી છે.