આજથી સંસદનું બજેટસત્ર શરૂ થશે,રાષ્ટ્રપતિ બંને ગૃહોને સંબોધશે
આજથી સંસદનું બજેટસત્ર શરૂ થવા જઇ રહ્યું છે.ત્યારે બજેટ સત્ર શરૂ થાય તે પહેલા સર્વપક્ષીય બેઠક યોજવામાં આવી હતી.જે બેઠકમાં કોંગ્રેસ,સમાજવાદી પાર્ટી હાજર રહી ન હતી.ત્યારે વર્તમાનમા બજેટસત્ર હંગામાભર્યું રહેવાની શક્યતાઓ જોવા મળી રહી છે.જેમાં આજે 11 વાગ્યે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂના અભિભાષણની સાથે બજેટસત્ર શરૂ થશે.જેમાં રાષ્ટ્રપતિ બંને ગૃહોને સંબોધન કરશે.બજેટ સત્ર દરમિયાન સંસદમાં સરકારનું ધ્યાન રાષ્ટ્રપતિના અભિભાષણ અને નાણાકીય વર્ષ 2023-24ના સામાન્ય બજેટ પર આભાર પ્રસ્તાવ પર રહેશે.બીજીતરફ વિરોધ પક્ષોએ અદાણી જૂથ,કેટલાક રાજ્યોમાં રાજ્યપાલોની કામગીરી,જાતિ આધારિત વસ્તી-ગણતરી,મોંઘવારી, બેરોજગારી જેવા મુદ્દાઓ પર સરકારને ઘેરવાની સંભાવના વ્યક્ત કરી છે.આ સિવાય સરકાર સત્ર દરમિયાન સંસદમાં આર્થિક સર્વે રજૂ કરશે.નાણામંત્રી નિર્મલા સીતારમણ આગામી 1 ફેબ્રુઆરી 2023ના રોજ નાણાકીય વર્ષ 2023-24 માટે કેન્દ્રીય બજેટ રજૂ કરશે.જે બજેટ સત્રનો પ્રથમ તબક્કો આગામી 13 ફેબ્રુઆરી સુધી ચાલશે જ્યારે બીજો તબક્કો આગામી 13 માર્ચથી શરૂ થઈને 6 એપ્રિલ સુધી ચાલશે.બજેટ સત્ર દરમિયાન 27 બેઠકો થશે.