કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રીએ ઓઈલ કંપનીઓને પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટાડાની કરી અપીલ
દેશમાં હાલમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ સ્થિર છે. છેલ્લા ઘણા સમયથી બન્ને ઈંધણના ભાવમાં કોઈ ફેરફાર કરાયો નથી. પરંતુ હવે કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પૂરીએ ઓઈલ કંપનીઓને ભાવ ઘટાડવાની અપીલ કરી છે.
શું કહ્યું પેટ્રોલિયમ મંત્રી
હરદીપ સિંહ પુરીએ કહ્યું કે હું ઓઈલ કંપનીઓને વિનંતી કરું છું કે જો ઈન્ટરનેશનલ સ્તરે ઓઈલ પ્રાઈસિસ કન્ટ્રોલમાં હોય અને તેમની કંપનીની રિકવરી પૂરી થઈ હોય તો તેમણે ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટાડવા જોઈએ.
આંતરરાષ્ટ્રીય સ્તરે ભાવવધારો છતાં કિંમત ન વધારી
તેમણે કહ્યું કે આંતરરાષ્ટ્રીય સ્તરે ભાવવધારો છતાં અમે પેટ્રોલ-ડીઝલની કિંમતમાં વધારો કર્યો નથી. કારણ કે સરકારે નવેમ્બર 2021 અને પછી મે 2022ના દિવસે એક્સાઈઝ ડ્યુટીમાં ઘટાડો કર્યો હતો. કેટલાક રાજ્યોએ વેટ ઘટાડ્યો નથી અને તેથી હજુ ભાવ વધારે છે.