રક્ષામંત્રીએ શસ્ત્ર પૂજા કરી, કહ્યું- સેના આપણી જમીનનો એક ઈંચ ભાગ પણ કોઈને લેવા નહીં દે
રક્ષામંત્રી રાજનાથ સિંહે દશેરાના અવસરે દાર્જીલિંગના સુકના વોર મેમોરિયલમાં શસ્ત્ર પૂજા કરી. તેમણે કહ્યું કે, ભારત ઈચ્છે છે કે ચીનની સાથે સરહદ પર ચાલી રહેલો તણાવ ખતમ થાય. આ વિસ્તારની શાંતિ જળવાઈ રહે. મને વિશ્વાસ છે કે આપણી સેના કોઈને આપણી જમીનનો એક ઈંચ ભાગ પણ લેવા નહીં દે. આ પહેલા રવિવારે સવાલે તે નાથૂ લા દર્રા પહોંચ્યા અને જવાનોને દશેરાની શુભકામનાઓ પાઠવી.
રક્ષામંત્રી પશ્વિમ બંગાળ અને સિક્કીમના 2 દિવસના પ્રવાસે છે. આ દરમિયાન તેમની સાથે આર્મી ચીફ મનોજ મુકુંદ નરવણે પણ હાજર રહ્યા છે. રાજનાથે સવારે ટ્વિટ કરીને દેશવાસીઓને વિજયાદશમીની શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે કહ્યું કે, ભારતીય સેનાના જવાનોને ભેટીને મને હંમેશા આનંદ થાય છે. તેમનું મનોબળ ઘણું ઊંચું રહ્યું છે. જેની જેટલી પ્રશંસા કરવામા આવે ઓછી છે. રાજનાથે શનિવારે દાર્જીલિંગના સુકનામાં 33 કોરના હેડઓફિસની મુલાકાત કરીને પૂર્વ સેક્ટરમાં સેનાની તૈયારીઓને સમીક્ષા કરી હતી.
રક્ષામંત્રીએ કહ્યું કે, તાજેતરમાં જ લદ્દાખમાં ભારત-ચીન સીમા પર જે કંઈ પણ બન્યું છે અને જે રીતે આપણા જવાનોએ બહાદુરીથી જવાબ આપ્યો, ઈતિહાસકારો આપણા જવાનોની વીરતા અને સાહસને સુવર્ણ શબ્દોમાં લખીશું.
લદ્દાખની ગલવાન ઘાટીમાં 15 જૂને ભારત-ચીનના સૈનિકો વચ્ચે હિંસક અથડામણ થઈ હતી. જેમાં ભારતના 20 જવાન શહીદ થયા હતા. ચીનના 40થી વધુ સૈનિકો માર્યા ગયા હતા. સીમા પર તણાવ ઘટાડવા માટે બન્ને દેશો વચ્ચે 7 રાઉન્ડની વાતચીત થઈ ચુકી છે. ભારતે લદ્દાખમાં ચીની સેનાનો મુકાબલો કરવા માટે ત્યાં લગભગ 60,000 સૈનિકોને તહેનાત કર્યા છે