તામિલનાડુમાં નીટની પરીક્ષા રદ કરતો ખરડો પસાર કરવામા આવ્યો
તામિલનાડુ વિધાનસભાએ નેશનલ એન્ટ્રન્સ કમ એલિજિબિલિટી ટેસ્ટને રદ કરી નાખતો ખરડો પસાર કરી દીધો હતો. તે સાથે આ ખરડામાં નવી જોગવાઇ દાખલ કરવામાં આવી છે કે જેમા હવે પછી મેડિકલના તમામ કોર્સમાં પ્રવેશ મેળવવા માટે ધો-12ની વાર્ષિક પરીક્ષાના માર્ક્સ જ ગણતરીમાં લેવાશે. રાજ્ય સરકારે સામાજિક ન્યાયને સુનિશ્ચિત કરવા નીટની પરીક્ષા રદ કરી હતી. જે બાબતે રાજ્યના મુખ્યમંત્રી એમ.કે.સ્ટાલિને પોતે આ ખરડો ગૃહમાં દાખલ કર્યો હતો. જેને મુખ્ય વિરોધ પક્ષ ઓલ ઇનિડયા અન્ના તથા પીએમકે તેના સહયોગી પક્ષ ઉપરાંત કોંગ્રેસે ટેકો આપ્યો હતો. જેમા નિવૃત્ત જજ એ.કે.રાજનના અધ્યક્ષપદે રચાયેલી ઉચ્ચસ્તરીય કમિટિએ કરેલી ભલામણોને ધ્યાનમાં લઇને મુખ્યમંત્રી સ્ટાલિને આ ખરડો ગૃહમાં દાખલ કર્યો હતો. જેમા કમિટિએ ગત જુલાઇમાં જ તેનો અહેવાલ સરકારને સુપરત કરી દીધો હતો. મદ્રાસ હાઇકોર્ટના નિવૃત્ત જજ રાજને કહ્યું હતું કે કમિટિની પાસે સમાજના જુદાજુદા વર્ગો તરફથી 86,000 જેટલી રજૂઆત આવી હતી. જે રજૂઆતોને ધ્યાનમાં લીધા બાદ અહેવાલ તૈયાર કરવામા આવ્યો હતો. આ રજૂઆતો પૈકી મોટાભાગની રજૂઆતોમાં નીટની પરીક્ષા રદ કરી દેવાની જ માંગણી અને રજૂઆત હતી. ત્યારે મુખ્યમંત્રી સ્ટાલિને ઉચ્ચ-સ્તરીય કમિટિની ભલામણોનો ઉંડાણપૂર્વક અભ્યાસ કર્યા બાદ અને રાજ્યમાં સામાજિક ન્યાયની ભાવના દૃઢ કરવાના ઇરાદાથી રાજ્ય સરકારે આ ખરડો દાખલ કર્યો હતો.