વડાપ્રધાન મોદી ૨૦ જૂને ગરીબ કલ્યાણ રોજગારી સ્કીમ લોન્ચ કરશે

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

ન્યુ દિલ્હી : કોરોના સંકટમાં મોદી સરકાર પ્રવાસી શ્રમિકો માટે એક મેગા પ્લાન લઈને આવી છે. તે હેઠળ લાકડાઉન દરમિયાન પોતાના રાજ્યો અને ગામ પરત ફરેલા લાખો લોકોને રોજગાર અને પુનર્વાસ માટે એક યોજના બનાવવામાં આવી છે. તેને ગરીબ કલ્યાણ રોજગાર યોજના નામ આપવામાં આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૨૦ જૂને આ અભિયાનને લાન્ચ કરશે. પીએમ નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકાર ગરીબો, શ્રમિકો, ખેડૂતોના હિત માટે પગલું ભરવા જઈ રહી છે. તે ૧.૭૦ લાખ કરોડની ગરીક કલ્યાણ પેકેજ પ્રદાન કરવાનું હોય કે ૨૦ લાખ કરોડ રૂપિયાનું આત્મનિર્ભર ભારત બનાવવાનો સંકલ્પ હોય, હવે આ નવી યોજનાથી સરકારનો ઉદ્દેશ્ય કોરોના સંકટકાળમાં પણ ગ્રામીણ ભારતમાં રોજગાર નિર્માણ કરવાનું છે. આ સ્કીમમાં બિહાર સહિત ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, રાજસ્થાન, ઝારખંડ, ઓડિશા આ ૬ રાજ્યોના ૧૧૬ જિલ્લાઓને કવર કરવામાં આવશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.