પાકિસ્તાનમાં પૂરથી ૨૮ અબજ ડોલરનું નુકસાન થયું

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

પાકિસ્તાનમાં આવેલ પૂરથી દેશને ૨૮ અબજ ડોલરનું નુકસાન થયું છે અને અસરગ્રસ્ત વિસ્તારોમાં દીર્ધકાલિન નિર્માણમાં બે થી દસ વર્ષ સુધીનો સમય લાગી શકે છે તેમ જણાવવામાં આવ્યું છે.જેમાં પોસ્ટ ડિઝાસ્ટર નીડ્સ એસેસમેન્ટ અનુસાર પાકિસ્તાનમાં ગરીબીમાં પાંચ ટકાનો વધારો થયો છે. જેનાથી લગભગ ૯૦ લાખથી ૧.૨ કરોડ લોકો ગરીબી રેખાની નીચે જઇ શકે છે.આમ પાકિસ્તાનમાં જૂનના મધ્યમાં ભારે વરસાદ પછી ભીષણ પૂર આવ્યું હતું જેમાં ૧૬૦૦થી વધુ લોકોનાં મોત થયા હતાં અને હજારો લોકો ઘાયલ થયા હતાં.આ સિવાય જળવાયુ પરિવર્તનને કારણે આવેલ આફતને કારણે ૧૮ થી ૨૦ લાખ નોકરીઓ સમાપ્ત થઇ ગઇ છે.જેમાં નાણાકીય કટોકટીનો સામનો કરી રહેલા પાકિસ્તાનમાં વર્તમાન વર્ષમાં ફુગાવો ૨૩ થી ૨૫ ટકા સુધી પહોચી શકે છે.ત્યારે પૂરને કારણે સૌથી વધુ ૫.૯ અબજ ડોલરનું નુકસાન સિંધ પ્રાંતમાં થયું છે.જ્યારે બલૂચિસ્તાનમાં ૩.૦૪ અબજ ડોલરનું નુકસાન થયું છે,પંજાબ પ્રાંતને ૦.૫૫ અબજ ડોલર,ખૈબર પુખ્તુન્વાને ૦.૫૪ અબજ ડોલર,પાકિસ્તાનના અંકુશવાળા કાશ્મીરમાં ૦.૦૨ અબજ ડોલર, ગિલગિટ બાલિસ્તાનમાં ૦.૦૩ અબજ ડોલરનું નુકસાન થયું છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.