
પાકિસ્તાનમાં શરદી-ઉધરસની દવાની અછત સર્જાશે
પાકિસ્તાનની આર્થિક હાલત ખૂબ કફોડી થતી જોવા મળી રહી છે.જેમાં વીજળી,ગેસ,ઘઉ-લોટ અને રોજબરોજના સામાનની કટોકટી બાદ દવાઓનું પણ સંકટ ઉભું થયું છે જ્યાં દવાઓના ઉત્પાદન માટે બે દિવસનો કાચોમાલ રહ્યો છે.જે અંગે પાકિસ્તાનના ફાર્માસ્યુટિકલ મેન્યુફેક્ચર્સ એસોસિએશને તેની ચેતવણી આપી હતી.પાકિસ્તાનમાં આવી સ્થિતિ ત્યારે સામે આવી જ્યારે કેન્દ્રીય બેન્કે કાચામાલની આયાત માટે ફાર્માસ્યુટીકલ ઉદ્યોગને નવા સંમતિપત્રો જારી આપવાનો ઈનકાર કર્યો હતો. તેવામા નાણા મંત્રાલય અને કોમર્શિયલ બેન્કો પાસેથી મદદ માંગ્યા બાદ પણ કોઈ મદદ મળી નથી.ત્યારે ફાર્મા કંપનીઓએ દવાઓની સપ્લાઈ ચેઈન તૂટતી અટકાવવા માટે પાકિસ્તાની સાંસદો પાસે તાત્કાલિક મદદ માંગી છે.પાકિસ્તાનમાં ફાર્માસ્યુટિકલ ઉદ્યોગ 6 અબજ ડોલરનું છે અને તેની આયાત પર નિર્ભરતા લગભગ 93 ટકા જેટલી છે.ભારતમાંથી કાચામાલની આયાત માટે રૂ.1 અજબ ડોલરની ક્રેડિટ લિમિટ છે અને 45 દિવસ અગાઉ રૂ.100 મિલિયન ચૂકવી દીધા છે.આમ છતાં પાકિસ્તાની બેન્ક ભારતને ચૂકવણી કરવામાં અસમર્થ છે.