
મારી એક માં અહિ સાંસદમાં છે અને બીજી માં ની મણીપુરમાં હત્યા : રાહુલ ગાંધી
લોકસભામાં મોદી સરકાર વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ પર બોલતા કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ મણિપુરનો મુદ્દો ઉઠાવ્યો હતો. મણિપુરની સ્થિતિ પર ચિંતા વ્યક્ત કરતા રાહુલે કહ્યું કે ભાજપની રાજનીતિએ મણિપુરમાં હિન્દુસ્તાન અને ભારત માતાની હત્યા કરી છે. રાહુલની આ ટિપ્પણી પર શાસક પક્ષના સાંસદો તરત જ ગુસ્સે થઈ ગયા અને ઉભા થઈને રાહુલ ગાંધીના નિવેદનનો વિરોધ કરવા લાગ્યા. શાસક પક્ષનું વલણ જોઈને વિપક્ષના સાંસદો પણ પોતાની બેઠક પરથી ઉભા થઈને ટેબલ તરફ આવ્યા અને સ્પીકરને તેમને બેસાડવા પડ્યા હતા.
રાહુલ ગાંધીએ વધુમાં કહ્યું કે મણિપુરમાં જે રીતે લોકોની હત્યા કરવામાં આવી છે તે ભારત માતાની હત્યા છે. રાહુલે કહ્યું કે મારી એક માતા (સોનિયા ગાંધી) અહીં સંસદમાં બેઠી છે અને તમે મણિપુરમાં બીજી માતાની હત્યા કરી છે. આ સાથે રાહુલ ગાંધીએ તેમની મણિપુર મુલાકાતની કેટલીક વાતો પણ સંભળાવી. રાહુલે કહ્યું કે જ્યારે હું ત્યાં ગયો ત્યારે મને બે મહિલાઓ મળી. એક મહિલાએ મને કહ્યું કે તેનો એક જ પુત્ર હતો જેની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી અને હું આખી રાત તેના મૃતદેહ સાથે રહી.
આ ઉદાહરણ આપતા રાહુલે મણિપુરમાં થયેલી હિંસા અંગે કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું હતું. રાહુલે એમ પણ કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક પણ વખત ત્યાં ગયા નથી કારણ કે મણિપુર તેમના માટે હિન્દુસ્તાન નથી. રાહુલે કહ્યું કે પીએમ મોદીને દેશના અવાજની ચિંતા નથી. તેમણે કહ્યું કે મોદીજી માત્ર બે લોકોનો અવાજ સાંભળે છે, તેઓ અમિત શાહ અને અદાણીજીની જ વાતો કરે છે.
રાહુલ ગાંધીએ હરિયાણા હિંસા પર પણ નિવેદન આપ્યું હતું. ભાજપ પર આરોપ લગાવતા તેમણે કહ્યું કે આ લોકોએ મણિપુર અને હરિયાણામાં કેરોસીન રેડીને આગ લગાવી છે અને આખા દેશમાં આગ લગાવી રહ્યા છે. તમને જણાવી દઈએ કે સમગ્ર વિપક્ષો સાથે મળીને મોદી સરકાર વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લાવ્યા છે, જેના પર લોકસભામાં ચર્ચા ચાલી રહી છે. ચર્ચાના બીજા દિવસે કોંગ્રેસ વતી રાહુલ ગાંધીનું ભાષણ થયું, જેના પર સરકાર વતી બીજેપી સાંસદ સ્મૃતિ ઈરાનીએ જવાબ આપ્યો.
Tags india PM MODI Rahul Gandhi Rakhewal