દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 20 લાખને પાર, 7 દિવસમાં દુનિયામાં સૌથી વધુ 3.97 લાખ દર્દી ભારતમાં નોંધાયા

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 20 લાખને પાર કરી ગઈ છે. covid19india વેબસાઈટના જણાવ્યા પ્રમાણે, શુક્રવાર સવાર સુધી 20 લાખ 25 હજાર 409 કેસ નોંધાયા છે. ગુરુવારે એક દિવસમાં 62 હજાર 170 દર્દી વધ્યા છે. આ એક દિવસનો સૌથી મોટો આંકડો છે.
તો આ તરફ મહારાષ્ટ્રમાં ગુરુવારે સૌથી વધુ 11 હજાર 514 અને આંધ્રપ્રદેશમાં 10 હજાર 328 સંક્રમિત મળી આવ્યા છે. આ સાથે જ દુનિયામાં નવો ટ્રેન્ડ સામે આવ્યો છે. ભારતમાં 2.4%ના દરે દર્દીઓ વધી રહ્યા છે. છેલ્લા 7 દિવસ(29 જુલાઈ-7 ઓગસ્ટ)માં ભારતમાં 3.79 લાખ દર્દી વધ્યા છે. સાથે જ અમેરિકામાં 3.76 લાખ અને બ્રાઝિલમાં 3.07 લાખ સંક્રમિત મળ્યા છે. અમેરિકામાં નવા દર્દી વધવાની ટકાવારી દરરોજ 1% અને બ્રાઝિલમાં 1.6% છે.એટલે કે સૌથી વધુ દર્દી વાળા આ ત્રણ દેશમાં દર્દીઓના વધવાની ટકાવારી પણ ભારતમાં સૌથી વધુ છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.