નેપાળના વડાપ્રધાન કે પી શર્મા ઓલીને જોરદાર આંચકો

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

નેપાળના વડાપ્રધાન કે પી શર્મા ઓલીને નેપાળ સામ્યવાદી પક્ષે પક્ષના સભ્યપદેથી બરતરફ કરતાં ઓલીને જોરદાર આંચકો લાગ્યો હતો.નેપાળના સામ્યવાદી પક્ષની ચીન સાથે વધી રહેલી આત્મીયતાને પ્રતિકૂળ ફટકો મારવા ઓલીએ થોડાસમય પહેલાં સંસદનું વિસર્જન કરી નાખ્યું હતું.જોકે તેથી શાંતિ સ્થપાવાને બદલે ખેંચતાણ વધી હતી.

ગયા વર્ષના ડિસેંબરના બીજા સપ્તાહમાં ઓલીએ પક્ષને વિશ્વાસમાં લીધા વિના સંસદ બરખાસ્ત કરી નાખી ત્યારથી ઓલીના જૂથ અને સામ્યવાદી પક્ષના જૂથ વચ્ચે ખેંચતાણ ચાલી રહી હતી.આમ પક્ષમાં બે તડ પડ્યા હતા અને બંને જૂથ એકબીજાને મ્હાત કરવાના પ્રયાસ કરી રહ્યા હતા.

એક જ પક્ષના બેનર તળે બંને જૂથ પોતપોતાના કાર્યક્રમો કરી રહ્યા હતા.જોકે હજુસુધી બંનેમાંથી એકેય જૂથને ચૂંટણી પક્ષે માન્યતા આપી નથી.તે દરમિયાન,ઓલીના વિરોધી એવા ભૂતપૂર્વ વડાપ્રધાન પુષ્પકમલ દહલ ઉર્ફે પ્રચંડે ઓલીને સામ્યવાદી પક્ષના સભ્યપદેથી હાંકી કાઢ્યા હતા.પ્રચંડ જૂથે ઓલી પર પક્ષના શિસ્તભંગ કરવાનો આક્ષેપ મૂકીને તેમને પક્ષમાંથી બરતરફ કર્યાની જાહેરાત કરી હતી.નેપાળ સામ્યવાદી પક્ષના પ્રવક્તા નારાયણ કાજીએ કહ્યું હતું કે પક્ષની સ્થાયી સમિતિની બેઠકમાં ઓલીને પક્ષમાંથી હાંકી કાઢવાનો નિર્ણય લેવાયો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.