નેપાળના પ્રધાનમંત્રી પુષ્પકુમાર દહલ પ્રચંડ ભારત પ્રવાસે આવશે
નેપાળના નવા વડાપ્રધાન પુષ્પકુમાર દહલ પ્રચંડ ભારતની સાથે સંબંધોને વધુ મજબૂત કરવાના સંકેત આપી રહ્યા છે.ત્યારે તેઓએ પ્રથમ ભારત યાત્રાની પંરપરાને જાળવી રાખવાનો નિર્ણય કર્યો છે ત્યારે પ્રચંડ એપ્રિલના બીજા સપ્તાહમાં ભારત આવી શકે છે.આમ વડાપ્રધાન પ્રચંડ એપ્રિલમાં ભારતની યાત્રાથી પહેલાં સંસદમાં શક્તિપ્રદર્શન અને કેબિનેટનું વિસ્તરણ કરવા ઇચ્છુક છે.જેમા 275 સાંસદોવાળી સંસદમાં નેપાળી કોંગ્રેસના 89 સભ્યો ઉપરાંત પ્રચંડની પાસે અન્ય નાની પાર્ટીઓના 140 સાંસદોનુ સ્પષ્ટ સમર્થન છે.ફ્લોર ટેસ્ટમાં પ્રચંડ 140ના વર્તમાન આંકડાથી વધુ સમર્થન હાંસલ કરી શકે છે.જ્યારે વિપક્ષી કે.પી શર્મા ઓલી અને તેમના ગઠબંધનની પાર્ટીઓની પાસે 95 સાંસદો છે.ત્યારે આગામી સમયમાં પ્રચંડ કેબિનેટમાં નેપાળી કોંગ્રેસને વિદેશમંત્રી પદ મળી શકે છે.