રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના પુત્ર મહેન્દ્રભાઇ મેઘાણીનું નિધન થયું
રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના પુત્ર અને ભાવનગર લોકમિલાપ ટ્રસ્ટના મહેન્દ્રભાઈ મેઘાણીનું આજે રાત્રે ભાવનગર ખાતે નિધન થયું છે. આવતીકાલે સવારે તેમની અંતિમયાત્રા નીકળશે.આમ મહેન્દ્રભાઈ ઝવેરચંદ મેઘાણીએ તા.૩-૮-૨૦૨૨ના રોજ રાત્રે ૮ વાગ્યે અંતિમ શ્વાસ લીધા હતા.ત્યારે તેમની અંતિમ યાત્રા તા.૪-૮-૨૦૨૨ના સવારે ભાવનગર ખાતેના તેમના નિવાસસ્થાનેથી નિકળશે.આમ મહેન્દ્રભાઈએ ૨૦મી જૂને 100માં વર્ષમાં પ્રવેશ કર્યો હતો,તેમના નિધનથી સાહિત્ય જગતમાં શોક છવાયો છે.