નાશિકમાં કમોસમી વરસાદથી દ્રાક્ષને રૂ.10 હજાર કરોડનું નુકસાન થયું
નાશિકમાં કમોસમી વરસાદને લીધે દ્રાક્ષના પાકને લગભગ રૂ.10 હજાર કરોડનું નુકસાન થયું હોવાનો અંદાજ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. મહારાષ્ટ્રમાં ચાર લાખ એકર ક્ષેત્રમાં દ્રાક્ષ ઉગાડવામાં આવે છે. જેમાં મુખ્યત્વે નાશિક અને સાંગલી જિલ્લામાં વધુમાં વધુ દ્રાક્ષ ઉત્પાદન થાય છે. કમોસમી વરસાદ તૂટી પડવાને લીધે લગભગ 50 ટકા પાકને ભારે નુકાસન થયું છે. આમ દ્રાક્ષ બાયાગતદાર સંઘના અધ્યક્ષ શિવાજી પવારે જણાવ્યું હતું કે રાજ્ય સરકારે દ્રાક્ષ ઉગાડતા ખેડૂતોને તત્કાળ મદદ કરવી જોઇએ અને વીજળીનું બિલ માફ કરવું જોઇએ. કર્જની વસૂલાત અત્યારે રોકીને ખેડૂતો ફરીથી પગભર થઇ શકે માટે લોન આપવી જોઇએ.