મુંબઈના કોસ્ટલ રોડને લતાદીદીનું નામ આપવા માંગ કરાઇ
મુંબઈ મહાકાલિકાના મહત્વકાંક્ષી પ્રોજેક્ટ કોસ્ટલ રોડને કોકિલકંઠી ગાયિકા લતા મંગેશકરનું નામ આપવાની તેમના પરિવારજનોએ માંગણી કરી છે.આમ સ્વ.લતા મંગેશકરની પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે યોજાયેલા કાર્યક્રમમાં પરિવારજનોએ આ લાગણી વ્યક્ત કરી હતી.આમ ભારતરત્ન લતા મંગેશકરની વિદાયને આજે એક વર્ષ પૂર્ણ થયું હતું.ત્યારે આ પ્રસંગે હાજીઅલીમાં તેમના સ્મારકનું ભૂમિપૂજન લતા દીદીની નાની બહેન અને પાર્શ્વ ગાયિકા ઉષા મંગેશકરના હસ્તે કરવામાં આવ્યું હતું.જેમાં ઉષા મંગેશકર દ્વારા એવી ઈચ્છા વ્યક્ત કરવામાં આવી હતી કે મહારાષ્ટ્રના કોસ્ટલ રોડ પ્રોજેક્ટ સાથે લતા દીદીનું નામ જોડાવું જોઈએ.હાજીઅલી સર્કલ પર લતા મંગેશકરની સ્મૃતિમાં 40 ફૂટ ઊંચું સ્મારક બંધાશે.લતા મંગેશકર અને મંગેશકર પરિવારનું નિવાસ્થાન પેડર રોડના પ્રભુકુંજમાં આવેલું છે.હાજીઅલીથી દક્ષિણ મુંબઈની દિશામાં ટ્રાફિકની સરળતાથી અવરજવર થાય તે માટે ફ્લાય ઓવર બાંધવાની સરકારની યોજના હતી.પરંતુ ફ્લાયઓવર બંધાતા ટ્રાફિકના અવાજ અને પ્રદૂષણનો સામનો કરવો પડશે.ત્યારે આ મુદ્દે લતા મંગેશકર અને પેડલ રોડના સ્થાનિક રહેવાસીઓએ વિરોધ કર્યો હતો જેના પરિણામે યોજના આગળ વધી નહોતી.