મુંબઇમા હજારો ખેડુતોનો આઝાદ મેદાનમાં પડાવ
દેશમાં કૃષિ કાનૂનના વિરોધમાં ચાલી રહેલા આંદોલનમાં એકતરફ દીલ્હીમાં આવતીકાલની ખેડુત રેલીની તૈયારી અને તનાવ વચ્ચે મુંબઇના આઝાદ મેદાનમાં રાજયના 21 જીલ્લામાંથી આવેલા હજારો ખેડુતો ગઇકાલ સાંજથી પહોંચી ગયા હતા.ત્યારે આજે એનસીપીના નેતા શરદ પવાર તથા શિવસેનાના યુવાનેતા આદિત્ય ઠાકરેના નેતૃત્વમાં રાજયપાલને કાનૂનના વિરોધમાં આવેદનપત્ર પાઠવશે.આમ આઝાદ મેદાનમાં એકઠા થયેલા ખેડુતોને બંને વિપક્ષી નેતાઓ સંબોધન કરનાર છે ત્યારે કોંગ્રેસના અનેક નેતાઓ તેમની સાથે ભળશે.મુંબઇમાં આ રેલીના પગલે ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા લાદી દેવામાં આવી છે.જેમાં રપ000થી વધુ ખેડુતો ગઇકાલ સાંજથી આઝાદ મેદાનમાં પહોંચી ગયા હતા.ત્યારે કાર,ટ્રક સહિતના વાહનનો ખડકલો થઇ ગયો છે.