મુંબઈમાં સીએનજીમાં ઘટાડો કરવામાં આવ્યો
મુંબઈગરાને મહાનગર ગેસે મોટી રાહત આપી છે.જેમાં સીએનજીના ભાવમાં પ્રતિ કિલો રૂ.2.50નો ઘટાડો કરવામાં આવ્યો છે.ત્યારે આ ઘટાડો 31મી જાન્યુઆરીની મધરાતથી અમલમાં મૂકાશે.જેમાં સીએનજીનો ભાવ પ્રતિકિલો રૂ.87 કરવામાં આવ્યો છે.ત્યારે આ પૂર્વે સીએનજીનો દર રૂ.89.50 કરવામાં આવ્યો હતો.જેમા ગત વર્ષમાં સીએનજીના ભાવમાં સાત વાર વધારો થયો હતો.ત્યારે 8 ફેબુ્આરી 2021થી 4 નવેમ્બર 2022 સુધીમાં મુંબઈમાં સીએનજીના ભાવ રૂ.49.20 પ્રતિ કિલોથી વધીને રૂ.89.50 પ્રતિકિલો થયો હતો.આમ મુંબઈ અને તેની આસપાસના પરિસરમાં મહાનગર ગેસ લિમિટેડ કંપની સીએનજી,પીએનજી ગેસ વિતરણ કરનારી મુખ્ય કંપની છે. તેથી સીએનજીના ભાવમાં થયેલા ઘટાડાનો મોટો ફાયદો કારચાલકોથી માંડીને રિક્ષાચાલકોને થશે.