મુંબઈ-અમદાવાદ હાઈવે પર અકસ્માત સર્જાયો

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

મુંબઈ-અમદાવાદ હાઈવે પર વર્તમાનમાં ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો છે.જેમાં પાલઘર જિલ્લાના દહાણુ વિસ્તારમાં મુંબઈ-અમદાવાદ હાઈવે પર કાર અને બસ વચ્ચેની ટક્કરમાં 4 લોકોના ઘટનાસ્થળે મોત થઈ ગયા છે.આ અકસ્માતમાં ઘણા લોકો ઘાયલ થયા છે જેમને નજીકની હોસ્પિટલમાં સારવારઅર્થે ખસેડવામાં આવ્યા છે.ત્યારે આ અકસ્માત અંગે પાલઘર પોલીસના જણાવ્યા મુજબ કાર ગુજરાતથી મુંબઈ જઈ રહી હતી ત્યારે કારચાલકે વાહન પરનો કાબૂ ગુમાવતા આ અકસ્માત સર્જાયો હતો.અકસ્માતની માહિતી મળતા સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને કારને બસ નીચેથી બહાર કાઢી હતી.ત્યારબાદ મૃતકોના મૃતદેહોનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યા છે.આ સિવાય 8 જાન્યુઆરીના રોજ મહારાષ્ટ્રના પાલઘર જિલ્લામાં મોટો માર્ગ અકસ્માત થયો હતો.જેમાં વેગેનાર કાર અને ટ્રક વચ્ચે ટક્કર થઈ હતી.આ અકસ્માતમાં એક સગીર બાળકી સહિત 3 લોકોના મોત થયા હતા.બીજીતરફ 4 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.