મધ્યપ્રદેશનું ઈસ્લામનગર જગદીશપુર બન્યું
મધ્યપ્રદેશની શિવરાજસિંહ ચૌહાણની સરકાર દ્વારા ભોપાલ જિલ્લાના ઈસ્લામનગર ગામનું નામ બદલી દેવામાં આવ્યું છે.જે ભોપાલથી 14 કિલોમીટર દૂર આવેલું છે.જેનું નામ જગદીશપુર કરવામાં આવ્યું છે.આ અગાઉ શિવરાજ સરકારે હોશંગાબાદ જિલ્લાનું નામ બદલીને નર્મદાપુરમ કરી દીધું હતું.આ સિવાય તાજેતરમાં હોશંગાબાદ રેલવે સ્ટેશનનું નામ પણ બદલીને નર્મદાપુરમ રેલવે સ્ટેશન કરવામાં આવ્યુ હતું.