મોદીનું મિશન કોરોના વેક્સિન PMએ 3 વેક્સિન કંપનીઓ સાથે વાત કરી, કહ્યું- સામાન્ય લોકોને વેક્સિન અંગે સરળ શબ્દોમાં જણાવો
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 3 દિવસમાં બીજી વખત કોરોના વેક્સિન બનાવનાર ટીમ સાથે વાત કરી. મોદીએ સોમવારે વીડિયો કોન્ફરસિંગ દ્વારા જેનોવા બાયોફાર્મા, બાયોલોજિકલ ઈ અને ડો. રેડ્ડીઝની ટીમ સાથે ચર્ચા કરી. આ કંપનીઓના વેક્સિન ટ્રાયલ અલગ અલગ સ્ટેજમાં છે. જેના ડેટા અને પરિણામ આગામી વર્ષની શરૂઆતમાં આવાની આશા છે. વડાપ્રધાને તેમને સલાહ આપી કે સામાન્ય લોકોને વેક્સિનની અસર જેવી વાતોમાં સરળ શબ્દોમાં સમજાવવા માટે એક્સ્ટ્રા એફર્ટ કરવામાં આવે. આ ચર્ચામાં વેક્સિનની ડિલેવરી માટે લોજિસ્ટિક, ટ્રાન્સપોર્ટ અને કોલ્ડ ચેઈનના મુદ્દા પર પણ વાત થઈ.
મોદીએ વેક્સિન કંપનીઓ પાસેથી સૂચન માંગ્યા મોદીએ આ કંપનીઓના વૈજ્ઞાનિકોના પ્રયાસોની પ્રશંસા કરી. સાથે જ વેક્સિન ડેવલપમેન્ટ પ્લેટફોર્મ્સ અંગે ચર્ચા કરી. વડાપ્રધાને ત્રણેય કંપનીઓને કહ્યું કે, વેક્સિનની મંજૂરી સાથે જોડાયેલી પ્રોસેસ અને અન્ય મામલા અંગે સૂચન આપે. વડાપ્રધાન ઓફિસના જણાવ્યા પ્રમાણે મોદીએ સંબંધિત વિભાગોને કહ્યું કે, વેક્સિન બનાવનારી કંપનીઓ સાથે મળીને તેમના મુદ્દાઓનો નિવેડો લાવો, જેથી તેમને તેમના પ્રયાસોનું ફળ મળી શકે.
આ પહેલા શનિવારે મોદીએ પૂણેના સિરમ ઈન્સ્ટિટ્યૂટ, અમદાવાદની જાયડસ બાયોટેક પાર્ક અને હૈદરાબાદમાં ભારત બાયોટેક ફેસેલિટીની મુલાકાત લીધી હતી. મોદીએ આ ત્રણેય કંપનીઓમાં વેક્સિન ડેવલપમેન્ટ અને મેન્યુફેક્ચરિંગ પ્રોસેસની માહિતી લીધી હતી.