મહારાષ્ટ્રમાં કોરોનાની 2જી લહેર નિયંત્રણમા આવતા દૈનિક દર્દીઓની સંખ્યામા ઘટાડો થયો
મહારાષ્ટ્રમાં કોરોનાની બીજી લહેર પૂર્ણ થવાના આરે છે. ત્યારે દૈનિક નવા દર્દી અને મૃતકોની સંખ્યામાં ધરખમ વધારો નોંધાયો છે અને દર્દી રિકવર થવાનું પ્રમાણ 97.09 ટકા થયું છે. પરંતુ ત્રીજી લહેરની શક્યતા હોવાથી સરકાર ચિંતિત છે. રાજ્યમા કોરોનાના નવા 3626 કેસો નોંધાયા છે અને 37 દર્દીઓએ જીવ ગુમાવ્યો છે. જ્યારે કોરોનાના 5988 દર્દી સ્વસ્થ થતાં તેઓને હોસ્પિટલથી ડિસ્ચાર્જ કરવામા આવ્યા હતા. જ્યારે 47,695 કોરોના દર્દીઓ સક્રીય છે. જેઓ વિવિધ હોસ્પિટલોમાં સારવાર લઈ રહ્યા છે. આમ રાજ્યમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને 64,89,800 થઈ છે અને મરણાંકની સંખ્યા 1,37,811 થઈ છે.આમ 3,03,169 લોકો હોમ ક્વોરેન્ટાઈન થયા છે અને 1963 લોકો સંસ્થાત્મક ક્વોરન્ટાઈન થયા છે.