મહારાષ્ટ્ર સરકારના મંત્રીઓ પણ કોરોનાની ઝપેટમાં
દેશમાં કોરોનાના 22,775 કેસ નોંધાયા છે અને સંક્રમણથી 406 લોકોના મોત થયા છે. 24 કલાકમાં દેશમાં કોરોનાના કેસમાં 36 ટકાનો વધારો થયો છે. દેશમાં હાલ એક્ટિવ કેસની સંખ્યા 1.04 લાખ છે. દેશમાં 4 દિવસોમાં કોરોના કેસની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. સોમવારે દેશમાં 6,242 નવા કેસ મળ્યા છે. શુક્રવારે કેસ 3.6 ગણા વધ્યા છે.
રાજસ્થાનમાં નવા વર્ષના પહેલાં દિવસે ઓમિક્રોન કેસમાં વિસ્ફોટ થયો છે. એક સાથે 52 નવા કેસ મળ્યા છે. તેમાં 38 જયપુરના છે. નવા સંક્રમિતોમાં 9 વિદેશી યાત્રામાંથી પરત ફર્યા છે. આમ હવે રાજ્યમાં ઓમિક્રોનથી અત્યાર સુધી 121 પોઝિટિવ મળ્યા છે. તેમાંથી 61 દર્દીઓ રિકવર થયા છે.
મહારાષ્ટ્રમાં કોરોનાનો કહેર અટકવાનું નામ નથી લઈ રહ્યો. સામાન્ય લોકોની સાથે મહારાષ્ટ્ર સરકારના મંત્રીઓ પણ કોરોનાની ઝપેટમાં આવી રહ્યા છે. મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ અજિત પવારે કહ્યું હતું કે રાજ્યના 10 મંત્રી કોરોના પોઝિટિવ મળી આવ્યાં છે.
મહારાષ્ટ્રમાં વધુ કડક પ્રતિબંધો લગાવવામાં આવી શકે છે પવારે કહ્યું હતું કે મંત્રીઓ ઉપરાંત રાજ્યના 20થી વધુ ધારાસભ્યો કોરોના પોઝિટિવ મળ્યા છે. જો રાજ્યમાં આ જ રીતે કોરોનાના દર્દીઓ વધતા રહેશે તો રાજ્ય સરકાર દ્વારા રાજ્યમાં વધુ કડક પ્રતિબંધો લગાવવામાં આવી શકે છે. જણાવીએ કે મહારાષ્ટ્રના શહેરી વિકાસ રાજ્યમંત્રી પ્રાજક્ત તાનપુરે, આદિજાતિ વિકાસમંત્રી કેસી પાડવી, શિક્ષણમંત્રી વર્ષા ગાયકવાડ, બાલાસાહેબ થોરાટ અને યશોમતિ ઠાકુર સહિત કુલ 10 મંત્રી કોરોના પોઝિટિવ આવ્યાં છે.