
મધ્યપ્રદેશમાં યાત્રાળુઓને અકસ્માત નડતાં 17 લોકો નદીમાં વહી ગયા
મધ્યપ્રદેશમાંથી મોટી દુર્ઘટના સામે આવી છે.જેમાં મોરેના જિલ્લામાં ઘટના ચંબલ નદી પાર કરતી વખતે બની હતી.જેમાં લગભગ 17 યાત્રાળુઓ નદીના વહેણમાં વહી ગયા હતા,જેમાંથી 8 લોકો તરીને રાજસ્થાન તરફ નીકળ્યા હતા જ્યારે 7 લોકો ડૂબ્યા છે.આ ઘટના બાદ બચવામાં આવેલા ડાઇવર્સે પાણીમાંથી 3 લોકોના મૃતદેહ બહાર કાઢ્યા છે.તે સમયે ચાર લોકો હજુ લાપતા જોવા મળી રહ્યા છે.ચંબલમાં ડૂબી ગયેલા તમામ શ્રદ્ધાળુઓ શિવપુરી જિલ્લાના હોવાનું જણાવવામાં આવ્યું છે.આમ કુશવાહા સમુદાયના લોકો શિવપુરીથી પગપાળા કરૌલી માતાના મંદિરે દર્શન કરવા જઈ રહ્યા હતા ત્યારે તેઓ ચંબલ નદી ઓળંગી રહ્યા હતા ત્યારે પાણીના ભારે પ્રવાહમાં વહી ગયા હતા.આમ આ બનાવની જાણ થતા તરત ઘટનાસ્થળે દોડી આવી હતી.બીજીતરફ મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે ચંબલ નદીમાં થયેલા અકસ્માતની નોંધ લીધી અને દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો હતા.આ સિવાય મુખ્યમંત્રીએ મુખ્યમંત્રી કાર્યાલય તેમજ જિલ્લા વહીવટીતંત્રને ચંબલ નદીમાં બચાવ કામગીરી ઝડપી બનાવવા સૂચના આપી છે.