લદ્દાખના નાગરિકોને કાયમી નિવાસી પ્રમાણપત્ર મળશે
જમ્મુ-કાશ્મીરમાં નાગરિકતા કાયદાને હટાવવા અને પ્રદેશના વિભાજનના બે વર્ષ બાદ લદ્દાખ વહીવટીતંત્રએ એકવાર ફરીથી નાગરિકતા પ્રમાણ પત્ર જારી કરવાની જાહેરાત કરી દીધી છે. ત્યારે લદ્દાખમા સરકારી નોકરીઓ સ્થાયી નિવાસીઓને મળશે અને નાગરિકતાનો આધાર જૂના કાયમી રહેવાસી પ્રમાણપત્રના આધારે કરવામાં આવશે. જમ્મુ અને કાશ્મીર રાજ્યના બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં વિભાજનના બે વર્ષ કરતા વધુ સમય બાદ લદ્દાખના વહીવટીતંત્રએ અસ્થાયી રીતે પરિભાષિત કરવા એક આદેશ જારી કર્યો છે કે બિન-રાજપત્રિત સરકાર માટે કેન્દ્રશાસિત પ્રદેશનો નિવાસી કોણ છે. લદ્દાખ રેજિડેન્ટ સર્ટિફિકેટ ઑર્ડર 2021 અનુસાર તે લોકો કે જેની પાસે લેહ અને કારગિલ જિલ્લામાં એક સક્ષમ અધિકારી દ્વારા જારી કરવામાં આવેલા સ્થાયી નિવાસી પ્રમાણપત્ર છે અથવા પીઆરસી જારી કરવા માટે પાત્ર છે તે જ રેજિડેન્ટ સર્ટિફિકેટ પ્રાપ્ત કરવામાં સક્ષમ હશે. આમ નવા આદેશમાં કહેવામાં આવ્યુ છે કે પીઆરસી રાખનાર વ્યક્તિઓના બાળકો અથવા એવા વ્યક્તિઓના બાળકો જે લેહ અને કારગિલ જિલ્લામાં સક્ષમ અધિકારી દ્વારા કાયમી નિવાસી પ્રમાણપત્ર જારી કરવાને પાત્ર છે તેઓ ડોમિસાઇલ સર્ટિફિકેટ મેળવવા માટે લાયક બનશે.