જાપાનના ઈબારાકીમાં 6.2ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો, જાનમાલને કોઇપણ પ્રકારનુ નુકશાન નહીં
જાપાનના ઈરાબાકી ખાતે આજે સવારે 7.46 વાગ્યે ભૂકંપના ઝટકા અનુભવાયા હતા. જેની રિકટર સ્કેલ પર તીવ્રતા 6.2 આપવામાં આવી હતી. જેમા જાપાન હવામાન વિજ્ઞાન એજન્સીએ માહિતી આપી હતી કે આ ભૂકંપથી જાનમાલને કોઇપણ પ્રકારના નુકશાનના કોઈ વાવડ નથી કે ના તો સુનામીનું કોઇ એલર્ટ જાહેર કરવામા આવ્યુ છે.