સ્વાસ્થ્ય મંત્રાલય દરરોજ 10 લાખ આયુષ્યમાન કાર્ડ બનાવશે
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે આયુષ્યમાન કાર્ડ બનાવવાની ગતિને વધારવાનો નિર્ણય કર્યો છે.ત્યારે આવનારા સમયમાં દરરોજ 10 લાખ આયુષ્યમાન કાર્ડ બનાવવાનું લક્ષ્ય પુરું કરવામાં આવશે.જેમાં ડિઝીટલ એપના માધ્યમથી અધિકૃત લાભાર્થીને ઝડપથી કાર્ડ ઉપલબ્ધ કરાવવાના મિશનને પુરું કરવામાં આવશે.આમ એક મહિના પહેલા દરરોજ એક થી દોઢ લાખ કાર્ડ બનાવવામાં આવતા હતા,ત્યારે વર્તમાનમાં રોજ 4 થી 5 લાખ કાર્ડ બનાવવામાં આવી રહ્યા છે.આમ અત્યારસુધીમાં આ યોજનાથી 3.95 કરોડ દર્દીઓની સારવાર માટે લગભગ રૂ.45,294 કરોડ ખર્ચાઈ ગયા છે.જેમાં દેશના 33 રાજયો અને કેન્દ્રશાસીત પ્રદેશોમાં 19 કરોડથી વધુ આયુષ્યમાન કાર્ડ બનાવાયા છે અને 24 કરોડથી વધુ આયુષ્યમાન ભારત હેલ્થ એકાઉન્ટ નંબર પણ બનાવાયા છે.