ફ્રાન્સથી ઉડાન ભરી લડાકુ વિમાન જામનગર ખાતે પહોંચ્યા

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

ભારતીય વાયુસેનાની તાકાત વધારવા માટે આજે વધુ ત્રણ રાફેલ વિમાનો ફ્રાન્સથી જામનગર ખાતે આવી પહોંચ્યા હતા. રફેલે આજે વહેલી સવારે ફ્રેન્ચ એરબેઝ પરથી ઉડાન ભર્યા બાદ ગુજરાતના જામનગરમાં આવી પહોચતાની સાથે ભારત પાસે 29 લડાકુ વિમાનનો કાફલો તૈનાત થયો છે. આમ ફ્રાન્સથી 7364 કિલોમીટરની સફર પૂર્ણ કર્યા બાદ વિમાનો જામનગર ખાતે આવ્યા હતા. જે ભારતને ઉત્તરીય સરહદો અને પૂર્વીય સરહદ બંને પર અત્યંત સક્ષમ વિમાનોની નોંધપાત્ર સંખ્યાને જમાવવા માટે વધુ વિકલ્પો આપશે. રાફેલ લડવૈયાઓ તિબેટ સ્વાયત્ત ક્ષેત્રમાં દુશ્મન હવાઈ સંરક્ષણ પદ્ધતિઓ અને પ્રહારને હરાવવા સક્ષમ છે. ભારત અને ફ્રાન્સે વર્ષ 2016માં 59,000 કરોડના ખર્ચે 36 રાફેલ વિમાનો ખરીદવા માટે આંતર-સરકારી કરાર પર હસ્તાક્ષર કર્યા હતા જેને પગલે 29 જુલાઈ,2020ના રોજ પાંચ રાફેલ જેટની પ્રથમ બેચ ભારતમાં આવી હતી. ત્યારબાદ અત્યાર સુધીમાં 29 વિમાનો આવી ચુક્યા છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.