દેશમાં ત્રીજી લહેરમાં પ્રથમ વખત 1.17 લાખથી વધુ નવા કેસ નોંધાયા

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

દેશમાં કોરોના મહામારીની ત્રીજી લહેરમાં પ્રથમ વખત નવા કેસનો આંકડો 1 લાખને પાર કરી ગયો છે. છેલ્લા 24 કલાક દરમિયાન દેશમાં કોરોનાના 1 લાખ 17 હજાર 100 નવા કેસ નોંધાયા છે. 214 દિવસ પછી આટલ કેસ નોંધાયા છે. ગઈકાલે 302 લોકોનાં મોત પણ થયાં છે, જ્યારે એક્ટિવ કેસમાં 85,958 વધારો થયો છે. આ સાથે જ એક્ટિવ કેસ 3.71 લાખ થઈ ગયા છે.

જ્યારે આપણે દેશમાં કુલ કેસની વાત કરીએ તો અત્યારસુધીમાં 3.52 કરોડથી વધુ લોકો કોરોનાની ઝપેટમાં આવી ગયા છે, તેમાંથી 3.43 કરોડ લોકો સાજા થઈ ગયા છે તેમજ અત્યારસુધીમાં 4 લાખ 83 હજાર 178 લોકોનાં મોત પણ થયાં છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.