જમ્મૂ-કાશ્મીરમાં ગોળીબારના લીધે એક જવાન શહીદ, આ વર્ષે ૨૭૦૦થી વધુ વખત સીઝફાયર તોડ્યું
જમ્મૂ-કાશ્મીરના રાજૌરી સેક્ટરમાં LoC પર શનિવારે પાકિસ્તાને ફાયરિંગ શરૂ કર્યું હતું. તેમાં ભારતીય સેનાનો એક જવાન શહીદ થઇ ગયો હતો. ત્યારબાદ ભારતીય સેનાએ વળતો જવાબ આપ્યો હતો. સત્તાવાર આંકડા પ્રમાણે, પાકિસ્તાને આ વર્ષે ૨૭૦૦થી વધુ વખત સીઝફાયર વાયોલેશન કર્યું છે. ગત વર્ષે તેની સંખ્યા ૩૧૬૮ અને ૨૦૧૮માં ૧૬૨૯ હતી. તેમાં ૨૧ નાગરિકોના મોત થયા હતા જ્યારે ૯૪ લોકો ઘાયલ થયા હતા.
રક્ષા મંત્રાલયના પ્રવક્તા કર્નલ દેવેન્દ્ર આનંદે જણાવ્યુ કે જવાન રોબિન કુમાર ગંભીર હતા. ત્યારબાદ તેમનું મૃત્યુ થયું હતું. તેઓ હિમાચલ પ્રદેશના હમીરપુરના રહેવાસી હતા.