દિલ્હી,લખનૌ મુજબ મુંબઈમાં એર પ્યોરિફાયર લગાડવા નિર્દેશ કરાયો
છેલ્લા થોડા દિવસથી મુંબઈ સહિતના ઉપનગરોમાં હવાની ગુણવત્તા મોટા પ્રમાણમાં ખરાબ થઈ ગઈ છે.જેમાં હવાનું વધતું પ્રદૂષણ અત્યારે મુંબઈગરાઓ માટે ચિંતાનું કારણ બન્યું છે.જેમાં મુંબઈ,નવી મુંબઈ,થાણે અને કલ્યાણ સહિતના ઔદ્યોગિક ક્ષેત્રમાં જાન્યુઆરી મહિનામા હવાની ગુણવત્તા બગડેલી હતી.ત્યારે મુંબઈમાં હવાનું પ્રદૂષણ રોકવા માટે મુખ્યમંત્રી એકનાથ શિંદેએ મોટો નિર્ણય લીધો છે.જેમાં દિલ્હી,ગુડગાવ,લખનૌ મુજબ મુંબઈમાં એર પ્યોરિફાયર ટાવર લગાડવા નિર્દેશ શિંદેએ મહાપાલિકા કમિશનરને આપ્યો છે.આમ મુંબઈના પ્રદૂષણ માટે ધુળની રજકણ,વાહનોની વધતી સંખ્યા,બાંધકામ તથા જ્વલનશીલ કચરો કારણભૂત જોવા મળી રહ્યો છે.