નૈઋત્યના ચોમાસાની વિદાયની જાહેરાત કરવામાં આવી
દેશમાં નૈઋત્યના ચોમાસાની સિઝન પૂરી જાહેર કરવામાં આવી છે.ત્યારે આ અંગે હવામાન ખાતાએ જણાવ્યું હતું કે નૈઋત્યનું ચોમાસુ સામાન્ય કરતાં 7 ટકા વધુ વરસાદ લાવીને વિદાય લીધી છે.પરંતુ દેશના ચોખા ઉત્પાદક રાજ્યો ઉતરપ્રદેશ,બિહાર,ઝારખંડમાં આ વર્ષે ચોમાસામા ખાધ સર્જાઇ છે અને જેના કારણે કૃષિ ઉત્પાદન પર પણ અસર થશે.હવામાન ખાતા મુજબ ગુજરાતમાં સામાન્ય કરતા 28 ટકા વધુ વરસાદ નોંધાયો છે.દેશમાં કુલ 401.56 લાખ હેક્ટરમાં વાવણી થઇ છે.જે અગાઉના વર્ષ કરતાં 23.44 લાખ હેક્ટર ઓછી છે.આ સિવાય તેલંગાણામાં સૌથી વધુ 46 ટકા વધુ વરસાદ નોંધાયો છે,કર્ણાટકમા 29 ટકા વધુ વરસાદ,મધ્યપ્રદેશમા 24 ટકા વધુ વરસાદ અને મહારાષ્ટ્રમા 23 ટકા વધુ વરસાદ નોંધાયો છે.જેની સામે પશ્ચિમ બંગાળમાં 17 ટકા વરસાદી ખાધ જોવા મળી છે.અરૂણાચલ પ્રદેશમાં 14 ટકા,નાગાલેન્ડમા 13 ટકા,આસામમાં 9 ટકા,મેઘાલયમાં 8 ટકા ઓછો વરસાદ નોંધાયો છે.