ભારે વરસાદથી કેદારનાથ હાઈવેમાં ભુસ્ખલન થયું
ઉત્તરાખંડમાં ભારે વરસાદના કારણે ચારધામ યાત્રાના કેદાનનાથ જતા યાત્રીકોને મોટી મુશીબતોનો સામનો કરવો પડયો છે.જેમાં ભારે વરસાદના લીધે હાઈવે માર્ગોમાં પહાડો ધરાશાયી થતા માર્ગમાં ટ્રાફિક જામ થતો રહે છે.ત્યારે પ્રસાશક દ્વારા જેસીબી મશીનથી હાઈવે માર્ગોને ખોલવાની કામગીરી કરવામાં આવી રહી છે.આમ રૂદ્ર પ્રયાગમાં સતત ભારે વરસાદથી પહાડી વિસ્તારોમાં પહાડો ધરાશાયી થતાં ફાડાથી આગળ તલસાલી ગામ પાસે ગોરીકુંડ હાઈવેમાં વાહનવ્યવહાર થંભી ગયો હતો.ત્યારે હાઈવે માર્ગોમાં વાહનોની લાંબી કતારો જોવા મળી હતી.