ઔરંગાબાદમાં આદિત્ય ઠાકરેના કાફલા પર પથ્થરમારો કરવામાં આવ્યો
મહારાષ્ટ્રના ઔરંગાબાદમાં શિવસેના નેતા આદિત્ય ઠાકરેના કાફલા પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો.જેમાં આદિત્ય ઠાકરે જ્યારે પાર્ટીની શિવસંવાદ યાત્રા દરમિયાન ઔરંગાબાદના વૈજાપુર વિસ્તારમાં હાજર હતા ત્યારે તેમના કાફલા પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો.આ મુલાકાત દરમિયાન શિવસેનાના નેતા આદિત્ય ઠાકરેના કાફલા પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો.બીજીતરફ વિધાન પરિષદના સભ્ય અંબાદાસ દાનવેએ આ ઘટના પર પ્રતિક્રિયા આપી છે.જેમા તેમણે કહ્યુ હતુ કે જ્યારે અમે સભા સ્થળ છોડી રહ્યા હતા ત્યારે કાફલા પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો.આ દરમિયાન લોકોએ સ્થાનિક ધારાસભ્ય રમેશ જનમારેના સમર્થનમાં સૂત્રોચ્ચાર કર્યા હતા ત્યારે ટોળામાં હાજર અસામાજિક તત્વો દ્વારા બે જૂથો વચ્ચે અણબનાવ સર્જવાનો પ્રયાસ થયો હતો.આમ વિધાનપરિષદના સભ્ય અંબાદાસ દાનવેએ ઔરંગાબાદમાં આદિત્ય ઠાકરેના કાફલા પર પથ્થરમારાના મામલામાં સુરક્ષા ભંગને લઈને મહારાષ્ટ્ર પોલીસના મહાનિર્દેશકને પત્ર લખ્યો છે.જે અંગે દાનવેએ ડીજીપીને સુરક્ષા ભંગની ગંભીરતાથી તપાસ કરવા અને જરૂરી કાર્યવાહી કરવા અનુરોધ કર્યો.